Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબી: રાજમાર્ગો પર બોર્ડ-બેનર લગાડનાર ચેતી જજો, નહિતર ખર્ચ ભોગવવાનો રહેશે.

મોરબી શહેર/જિલ્લાના રાજમાર્ગો પર સરકારની અનુમતિ વિના  બોર્ડ/હોર્ડિંગ્સ લગાડનાર વિરુદ્ધ માર્ગ અને મકાન વિભાગઈ ધોકો પછાડ્યો છે. જે અનુસાર ત્રણ દિવસની અંદર જો તેનો નિકાલ નહીં કરવામાં આવે તો તેનો નહિતર ખર્ચ ભોગવવાનો રહેશે.

  આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર, રાજયધોરી માર્ગ મુખ્ય જિલ્લા માર્ગ તેમજ તમામ રસ્તા ઉપર અત્રેની મંજુરી વગરનાં જાહેરાતનાં બોર્ડ/હોર્ડિંગ્સ જે રસ્તા ઉપર લગાવવામાં આવેલ છે તે બોર્ડ હોર્ડિંગ્સનાં માલીકોએ જાહેરાતનાં બોર્ડ/હોર્ડિંગ્સ  ત્રણ દિવસમાં હટાવી લેવા પડશે અને જો વગર મંજુરીનાં જાહેરાતનાં બોર્ડ/હોર્ડિંગ્સ નહી હટાવવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગ દ્રારા દુર કરવામાં આવશે અને તેમાં થયેલ ખર્ચ જાહેરાતનાં બોર્ડ/હોર્ડિંગ્સનાં માલીકોને ભોગવવાનો રહેશે તેમ જણાવ્યું હતું.

 

(10:50 pm IST)