Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મીઠાપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા

મીઠાપુર : ભારતરત્ન એવા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ આગામી ૧૪મી એપ્રિલે આવી રહી હોય તેની ઉજવણીના ભાગરૂપે મીઠાપુર ખાતે ગત તારીખ ૪/૪/૨૦૨૧ને રવિવારના રોજ અનુસુચિત સમાજના વિદ્યાર્થીઓ દ્વારા બાબાસાહેબના ચિત્ર દોરવાની એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૭૦ જેટલા બાળકોએ ભાગ લઇ અલગ અલગ ચિત્રો ડો. આંબેડકર સાહેબના બનાવ્યા હતા. આ ઉપરાંત દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)

(10:49 am IST)