Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

લોધીકા તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ લીધી વેકસીન

ખીરસરા :  રાજકોટ લોધીકા સંધના વા.ચેરમેન સંજયભાઈ અમરેલીયા રાજકોટ લોધીકા સંધના ડિરેકટર મનસુખભાઈ સરધારા ખીરસરા ગામ ના પૂર્વ સરપંચ રાજૈન્દ્રસિહ જાડેજા (ટીનાભાઇ) બાપા સિતારામ ના ઉપનામથી ઓળખાતા ભીખાભાઈ સાગઠીયા એસ.ટી.ના નિવૃત્ત્। કર્મચારી મહિપાલસિહ જાડેજા વિગેરે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકિસન લીધી હતી અને રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ કોરોના વેકિસન કેમ્પ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લિધી અને જનતાને કોરોના વેકિસન લેવા અપીલ કરેલ.

(11:51 am IST)