Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સોમનાથ ખાતે શારદા મઠમાં શંકરાચાર્યજીની જન્‍મજયંતીની ઉજવણી

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૬: સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આવેલ શ્રી શંકરાચાર્યજી ગુરૂગાદી ખાતેᅠ શંકરાચાર્યજીની જન્‍મજયંતિ નિમિત્તે તા ૬,૫,૨૨ને શુક્રવારના રોજ શ્રી શારદાપીઠ ગુરૂગાદી ખાતે ભગવાન આદિ શંકરાચાર્યની પાદુકા પૂજન તથા કામનાથ મહાદેવનાં શિખર પર નૂતન ધ્‍વજારોહણ અને જન્‍મ જયંતી ઉત્‍સવ મનાવવામાં આવશે આ કાર્યક્રમ શારદાપીઠના વ્‍યવસ્‍થાપક અવધેશ મહારાજ આગેવાની અને દેખરેખ હેઠળ મનાવવામાં આવશે તો આ કાર્યક્રમ મા હાજરી આપવા અવધેશ મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(10:33 am IST)