Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

રાજુલામાં કૂલરમાં પાણી પીવા ગયેલ જીનીંગ ફેકટરીના દલિત યુવાનનું શોક લાગતા મોત

 

રાજુલા,તા. ૬ : રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલ રાધાકૃષ્‍ણ જિનિંગ ફેક્‍ટરીમાં ૧૭ વર્ષીય જેસીંગભાઇ બાબરીયાને વીજ શોક લાગતા મૃત્‍યુ નિપજયું હતું આ બનાવની જાણ દલિત સમાજને થતાં મોટી સંખ્‍યામાં સમાજના આગેવાનો રાજુલા જનરલ હોસ્‍પિટલ ખાતે એકત્ર થયા હતા.

જેસીંગભાઇ વડનગર વિસ્‍તારમાં રહેતા કામ કરતી વેળા તેમને તરસ લાગતા કૂલરમાં પાણી પીવા ગયા ત્‍યારેᅠ મશીનરી ની અંદર કોઈ કારણે તેમને વિજશોકᅠ લાગેલ આ યુવાને સારવાર અર્થે રાજુલા જનરલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો ત્‍યાં ફરજ પરના તબીબેᅠ તેને મુત્‍યુ જાહેર કર્યું હતું સમાજના આગેવાન કિશોરભાઈ તથા નવચેતનભાઈ જેસીંગભાઇ બાબરીયા ને ન્‍યાય મળી રહે તે માટે પ્રયાસ હાથ ઘરેલો જો મશીનરીમાં કોઈ ખરાબ હતી તો તેમનું રીપેરીંગ કામ થવું જરૂરી હતું પરંતુ તે થયું હોત આ યુવાનનું મૃત્‍યુ નિપજયું નો હોત.

(1:50 pm IST)