Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સુરેન્દ્રનગરના સુદામડા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ: ફાયરિંગ: ત્રણ લોકો ઘાયલ

. 200 જેટલા લોકોના ટોળાએ બે વાડીમાં અંદાજે 2000 મણ જેટલી કણબને સળગાવી દીધી: સુરેન્દ્રનગર એસપી દોડ્યા :જિલ્લાની મોટાભાગની પોલીસનો કાફલો સુદામડા ગામે ખડકી દેવાયો

સુરેન્દ્રનગરમાં બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની છે. મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા અને એકબીજાને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ આ દરમિયાન ફાયરિંગની ઘટના પણ બની છે. સામ-સામે ફાયરિંગની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર એસપી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સુદામડા ગામે જૂની અદાવતમાં બે જ્ઞાતિ વચ્ચે જુથ અથડામણની ઘટના બની હતી. આ દરમિયાન થયેલી ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. 200 જેટલા લોકોના ટોળાએ બે વાડીમાં અંદાજે 2000 મણ જેટલી કણબને સળગાવી દીધી હતી. તેમજ મોટા પ્રમાણમાં લીલાં વૃક્ષો પણ સળગાવી દેવાયા હતા. આ સમયે મહિલાઓ અને બાળકોને પણ માર માર્યો હતો. સુરેન્દ્રનગર એસપી સહિત જિલ્લાની મોટાભાગની પોલીસનો કાફલો સુદામડા ગામે ખડકી દેવાયો છે 

(10:39 pm IST)