Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

જુનાગઢમાં વનરાજસિંહ રાયજાદાનાં ફાર્મ હાઉસમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્‍થિતી

જુનાગઢઃ તાજેતરમાં જુનાગઢ ક્ષત્રિય સમાજના આગેવાન અને પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્‍ડર શ્રી વનરાજસિંહ રાયજાદાને ત્‍યાં વંદનીય સંત કથાકાર પૂ.મોરારીબાપુએ પધરામણી કરી ૧૦ કલાક  રોકાણ કર્યુ હતું.
આજથી બે માસ અગાઉ પૂ.બાપુએ તેમની સાથે આત્‍મીયતાથી જોડાય વર્ષોથી અનન્‍ય ભાવ ધરાવતા શ્રી વનરાજસિંહને ત્‍યાં પુ.બાપુ પધાર્યા ત્‍યારે તેમણે કાનગોપીનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ નિહાળવા ઇચ્‍છા વ્‍યકત કરતા વનરાજસિંહબાપુએ આ અંગે ટુંકાગાળામાં આયોજન કરી બાપુને આમંત્રિત કરતા પુ.બાપુ વનરાજસિંહના ગુરૂકૃપા ફાર્મ હાઉસે પધરામણી કરી ૧૦ કલાક રોકાણ કર્યુ હતું.
સાંજે ૭ કલાકે પધરામણી કરી ત્‍યારે પુ.બાપુને વનરાજસિંહ રાયજાદાએ ભાવભેર આવકાર્યા હતા બાદમાં ત્‍યા ભોજન પ્રસાદ લઇ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ નિહાળેલ જેમાં ભાવપરાના આવડ રાસ મંડળીનો પુષ્‍યાતરાસ લાખણશીભાઇ અને તેની ટીમે રજુ કરેલ. બીજો  પ્‍યારસ મંડળી માંડવાના મેરામણભાઇ અને તેમની ટીમે રજુ કરેલ હતો. ત્‍યારબાદ કાનગોપીનો કાર્યક્રમ ભીમાભાઇ અને તેની મંડળી દ્વારા રજુ કરાવ્‍યો હતો.
આ તકે ગુજરાત રાજયના વનમંત્રી શ્રી કીરીટભાઇ રાણા અત્‍યંત વ્‍યસત હોવા છતા શ્રીવનરાજસિંહ રાયજાદાના નિમંત્રણને માન આપી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને પુ.બાપુના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ ઉપરાંત આ પ્રસંગે જુનાગઢના સાસંદ રાજેશભાઇ ચુડાસમા પુર્વમંત્રી અને ધારાસભ્‍ય ગોંડલ જયરાજસિંહ જાડેજા તથા જુનાગઢના ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી પુર્વ સાંસદ દિનુભાઇ સોલંકી એડીશ્‍નલ કલેકટર શ્રી રવિન્‍દ્રસિંહ જાડેજા ડેપ્‍યુટી કલેકટર પ્રતાપસિંહ જાડેજા, ડેપ્‍યુટી કલેલકટરશ્રી યોગી રાજસિંહ જાડેજા, મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા, જમીન વિકાસ બેકના ડીરેકટર શ્રી હરદેવસિંહ જાડેજા તેમજ પાલીતાણા ડીવાયએસપી આર.ડી.જાડેજા તેમજ પુ.મોરારી બાપુ સાથે પધારેલ મહાજભાવોમાં આફ્રિકાના ટીનુભાઇ તેમ જ લોકસાહિત્‍યવિંદ ગોવિંદભાઇ આહિર ઉપલેટા બોમ્‍બેના પ્રવિણભાઇ તન્‍ના તથા જેન્‍તીભાઇ ચાંડ્રા સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને મોડી રાત્રે કાર્યક્રમ પુર્ણ થયો ત્‍યા સુધી પુ.બાપુએ નિહાળી પ્રસન્‍નતા વ્‍યકત કરી ઉપરોકત તસ્‍વીરમાં પુ.મોરારી બાપુને આવકારતા અને ભાવથી બાપુને ભોજપ્રસાદ લેવડાવતા શ્રી વનરાજસિંહ રાયજાદા તેમજ વનમંત્રી કિરીટસિંહ રાણા ભીખુદાનભાઇ ગઢવી, જીતુદાદ ગઢવી, રાજભા ગઢવી વગેરે પુ.બાપુ સાથે હળવી પળોમાં સ્‍મરણ વગોળી રહ્યા છે તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રસન્‍નતા વ્‍યકત કરતા પુ.બાપુ નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

 

(10:17 am IST)