Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

તંત્રના સંકલનના અભાવે ધોરાજીની પ્રજા પરેશાનઃ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ ફરિયાદ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી : તા.૬ : શહેરમાં હાલ મિલ્કત વેરો લેવાનું કાર્ય બંધ હોવાથી પ્રજા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મળતા લાભોથી વંચીત છે.તથા આવાસ યોજનાનો લાભ મેળવેલ લોકો આ મિલ્કત વેરો ન ભરાતા પરેશાન છે.

આ ઉપરાંત પીવાના પાણીનું ૫-૬ દિવસે વિતરણ થતા પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે.તેમજ સ્ટેશન રોડથી ત્રણ દરવાજા, શાક માર્કેટ અને અવેડા ચોક તરફ જતા રસ્તાની હાલત પણ ખરાબ હોવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રના સંકલનના અભાવે લોકોને પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ તકલીફ પડી રહી હોવાથી ભાજપ પ્રમુખ વિનુભાઇ માધુકીયાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

(12:20 pm IST)