Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભારે વરસાદને કારણે રપ ગામડામાં અંધારપટ એગ્રીકલ્ચરના કુલ ૪૯૦ ફીડર બંધઃ સવારથી રીપેરીંગ

રાજકોટ, તા. ૬ : ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળે અંધારપટ છવાઇ ગયો હતો, આજે સવારે મળતા રીપોર્ટ મુજબ શ્રીજીબાયના ૬ અને એગ્રીકલ્ચરના ૪૮૪ સહિત કુલ ૪૯૦ ફીડર ઠપ્પ થઇ જતા સવારથી ટીમો દ્વારા રીપેરીંગ કાર્યવાહી હાથ ધરાઇ છે.

એગ્રીકલ્ચરના ફીડરોમાં જોઇએ તો રાજકોટ રૂરલ-૩ર, મોરબી-૧ર૮, પોરબંદર-ર૭, જામનગર-૧૩૩, ભૂજ-પ૩, અંજાર-૭૧, અમરેલી-૧૭ અને સુરેન્દ્રનગર-ર૩ ફીડર ઠપ્પ થઇ ગયા છ, જે હજુ બંધ છે.

આ ઉપરાંત રપ ગામોમાં અંધારપટ છવાયો તેમાં રાજકોટ રૂરલના-૬, મોરબી-૪, જામનગર-૮૩, અંજાર-૬ અને અમરેલીના-૧ ગામમાં વીજળી ડૂલ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

(11:19 am IST)