Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જુનાગઢના વકિલ નિલેશભાઇ દાફડાની ઘરમાં ઘુસીને હત્યા

છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા ખળભળાટઃ પોલીસ તપાસનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ : જુનાગઢમાં એડવોકેટની તેનાજ ઘરમાં છરી ઝીંકીને હત્યા થયાનું જાણવા મળેલ છે.

આ અંગેની જાણ થતા પોલીસે તુરત જ સ્થળ પર દોડી ઇજને તપાસ હાથ ધરી છે.

જુનાગઢના ટીંબાવાડી નજીક આવેલ મંગલધામ-બેમાં રહેતા વકીલ નિલેશભાઇ દેવજીભાઇ દાફડા ઉ.૩૬ નું મોત થયાની જાણ આજે સવારે ૭-૧પ કલાકે થતા એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડીવીઝનના પી.એસ.આઇ. જે.જે. ગઢવીવગેરે  તાત્કાલીક દોડી ગયા હતા.

પ્રાથમીક તપાસમાં નિલશેભાઇની છરીના  ઝીંકીને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને હત્યા થયાનું જણાવ્યું હતું.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડી.વાય.એસ.પી. શ્રી જાડેજાએ અકિલા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, પ્રથમ તો નિલેશભાઇએ આત્મહત્યા કર્યાનું જણાવવામાં આવેલ પરંતુ ગળાના ભાગે છરીનો ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી હત્યા થવાનું જણાતા હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જયારે પી.એસ.આઇ. શ્રી ગઢવીએ જણાવેલ કે, બનાવ વખતે મૃતક અને તેના પત્ની બંને સાથે હતા હત્યા કયારે પઇ અને કોણે કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:21 pm IST)