Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવની આરાધના

 ધોરાજીઃ આખા શ્રાવણ માસ દરમિયાન સ્કંદ હોસ્પીટલના સેવાભાવી ડો. હાર્દિક સંઘાણી તેમના મિત્ર યુવા ઉદ્યોગપતિ દિપક માથુકીયા દ્વારા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે અભિષેક કરી પૂજા-અર્ચના કરેલ હતી. આ તકે હાર્દીક સંઘાણીએ જણાવેલ કે આ ટપકેશ્વર મહાદેવજી મંદિર બહુ પૌરાણીક મંદિર છે. અગીઋષિએ એ ગુફામાં સાધના કરેલી છે. પાંડવો વનવાસ દરમિયાન ટપકેશ્વર મહાદેવ મંદિરએ ગુફામાં પૂજા-અર્ચના માટે રોકાયેલ હતા. આ તકે ડો. હાર્દિક સંઘાણી, ડો. શ્વેતા સંઘાણી, પાશ્વ સંઘાણી, તેમના મિત્ર યુવા ઉદ્યોગપતિ દિપક માથુકીયા, પારૂલબેન માથુકીયા, ડો. શ્રુતી માથુકીયા, પ્રીયલબેન, હરીનભાઈ, સતીષભાઈ, પસવીબેન સહિતના લોકોએ દરરોજ પૂજા-અર્ચના કરેલ હતી અને કોરોના સંપૂર્ણપણે નાબુદ થાય તેવી પ્રાર્થના કરેલ હતી. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(1:17 pm IST)