Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જુનાગઢ પાસેની ખાનગી કેન્સર હોસ્પિટલમાં મહિલા દર્દીનું સ્ટાફની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ

જો કે, કોઇ બેદરકારી ન હોવાનો હોસ્પિટલનો બચાવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬    : જુનાગઢ પાસેના વડાલ ખાતેની ખાનગી હિમાલય હોસ્પિટલમાં મહિલા દર્દીનું સ્ટાફની બેદરકારીથી રાત્રે મૃત્યુ થયું હોવાનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.

આ મેસેજમાં રામીબેન નામના મહિલા દર્દીનું હોસ્પિટલમાં કોઇ ડોકટર  રાત્રે હાજર ન હોવાની અને નર્સીગ સ્ટાફને વેન્ટીલેટર ફીટ કરતા ના આવડતુ હોવાના કારણે મોત થયાનો આક્ષેપ કરાયો હતો અને પરિવારજનો મહિલાના મૃતદેહોને સોંપવાનો ઇન્કાર કરે છે. તેવો મેસેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.

આ અંગે સ્થળ પર પહોંચેલા પોલીસ સુત્રોએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, આ બનાવમાં સ્ટાફની કોઇ બેદરકારી ન હોવાનું હોસ્પિટલ તરફથી જણાવવામાં આવેલ છે. તેમ છતાં આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

(3:10 pm IST)