Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ભચાઉ એસ.આર.પી.ના પી.એસ.આઈ. વિનોદરાય સોરઠીયાને નિવૃતિ વિદાયમાન

રાજકોટઃ ગોંડલથી કોન્સ્ટેબલની કારકિર્દીનો પ્રારંભ કરનાર ભચાઉ ખાતે એસ.આર.પી. કેમ્પમાં પી.એસ.આઈ. તરીકે ફરજનિષ્ઠ વિનોદરાય બી. સોરઠીયા વય  નિવૃતિ બાદ વિભાગ દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનોદરાયનું કમાન્ડિંગ ઓફિસર શ્રી સુધાબેન પાંડેએ શાલ તેમજ મોમેન્ટો  આપવામાં આવેલ.

તેઓ ૨૦૦૩માં એ.એસ.આઈ અને ૨૦૧૯માં પી.એસ.આઈ. તરીકે બઢતી મેળવી હતી. તેઓએ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ દરમ્યાન પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલના કમાન્ડો તરીકે ફરજ બજાવી ચુકયા છે.

(4:24 pm IST)