Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ખંભાળિયાના ભાડથરમાં ગુરૂવારે ૧.૫૧ લાખ શિવ પાર્થિવેશ્વર મહાપૂજા

ડો. પી.વી.કંડોરિયા પરિવાર દ્વારા ધર્મોત્‍સવ : ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૬ : ખંભાળિયાના દેવભૂમિ હોસ્‍પિટલવાળા ડો. પી.વી.કંડોરીયા માલતીબેન કંડોરીયા તથા શિવ સમાજ ભાડથર દ્વારા તા. ૮ / ૯ / ૧૦ ડિસેમ્‍બરના રોજ ભાડથર ગામે એક લાખ એકાવન હજાર પાર્થિવેશ્વર શીવ મહાપૂજન તથા દર્શનનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયેલ છે જેનો લાભ લેવા લોકોને જણાવાયું છે.

તા. ૮-૧૨-૨૨ના મંડપ મુહૂર્ત તથા આસન નિર્માણ થશે. તા. ૯-૧૨-૨૨ના પાર્થિવેશ્વર નિર્માણ થશે તથા તા. ૧૦ના પાર્થિવેશ્વર મહાપૂજા તથા અભિષેક થશે અને તા. ૧૧ના પાર્થિવેશ્વરની વિસર્જન યાત્રા ભાડથરથી દ્વારકા જશે.

તા. ૯ના રોજ રાત્રે શિવજીની ઝાંખી યોજાશે. જેમાં ખીમાભાઇ ગોઝીયા તથા મશરીભાઇ કેશરીયા જોડાશે.

ભાડથરના શિવ ભકત ધીરૂભાઇ તન્‍નાની આગેવાનીમાં સમસ્‍ત ભાડથર ગામ તથા શીવ સમાજ આ કાર્યક્રમમાં જોડાશે તથા પૂજનમાં દરેક વ્‍યકિતને બેસવાની છૂટ છે. જેમણે ૯૪૨૭૫ ૭૩૪૮૬ ઉપર સંપર્ક કરવો.

આ પાર્થિવેશ્વર પૂજન કાર્યક્રમમાં દ્વારકાના જીવણનાથ બાપુ, મહાકાળી આશ્રમના ધનસુખનાથ બાપુ, અવધૂત આશ્રમ કેરાલાના સરસ્‍વતીગીરી માતાજી, સુતારીયાના મણી માતાજી, ભારતીબાપુ કેશોદ, વૈદ્યનાથબાપુ જૂનાગઢ પધારશે. કાર્યક્રમોનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

(2:56 pm IST)