Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સ્વચ્છતા અંગે મુલાકાત લેતા જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હસમુખભાઇ દુધાત મહામંત્રી બાબુલભાઇ ત્રિવેદી

અમરેલી : શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના પ્રેસીડેન્ટ શ્રી વસંતભાઇગજેરા સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. જ્યારેથી ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું સંચાલન સંભાળવામાં આવ્યું છે. ત્યારથી આજ દીન સુધી હોસ્પિટલમાં નિયમીત સ્વચ્છતા જળવાય છે કે નહિ. તેની ચકાસણી કરવા માટે શહેરના પ્રબુધ તેમજ સામાજીક આગેવાનો તથા અધિકારી/ પદઅધિકારીઓ દ્વારા દર મહિને એક વખત સ્વચ્છતા અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હસમુખભાઇ દુધાત તથા બાબુલભાઇ ત્રિવેદીએ તમમ વોર્ડની અને ટ્રોમા સેન્ટર અને ઓપીડી અને આઇસીયુ, ડાયાલીસીસ, એસએનસીયુની જીણવાસ ભરી સ્વચ્છતા અંગે ચેકીંગ કર્યું હતું હોસ્પિટલની સફાઇની કામગીરી જોઇ તેવો ખૂબ જ પ્રભાવીત બન્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે ડો.શોભના મહેતા (તબીબી અધિક્ષક), ડો. હરેશ વાળા (સિવિલ સર્જનશ્રી), ડો.એકતાબેન ગજેરા, સ્થાનીક સંચાલન પીન્ટુભાઇ ધાનાણી સહીતના ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફ સાથે રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(11:35 am IST)