Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

નરેન્દ્રભાઇના દીર્ઘાયુ માટે શ્રી ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય જાપ - જલાભિષેક

જસદણ - વિંછીયા ભાજપ દ્વારા પંજાબ સરકાર સામે આક્રોશ : રાજીનામાની માંગ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : ઘેલા સોમનાથ મહાદેવના મંદિર ખાતે જસદણ શહેર અને તાલુકા, વિછીયા તાલુકો અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબમાં નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં પંજાબની રાજય સરકાર દ્વારા ચૂંક રહી હોવાના બનાવ બાદ ભાજપ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવેલ.

ગઈ કાલે નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ આયુષ્ય માટે ધેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજયના જાપ તેમજ જલાભિષેક કરી પ્રાર્થના કરેલ નરેન્દ્ર ભાઈ મોદી લાંબુ અને નીરોગી આયુષ્ય પ્રાપ્ત કરે આપણા રાષ્ટ્રની કાયમ સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરેલ બાદમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરેલ સોનિયા ગાંધી રાહુલ ગાંધી દેશની માફી માંગે પંજાબના મુખ્યમંત્રી પોતાનું રાજીનામું આપે અને પોતે પણ માફી માંગે તે માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સંઘાણી તેમજ જસદણ શહેર પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ રામાણી, વિંછીયા તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ, રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય પંકજભાઈ ચાવ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, વનરાજભાઈ ખીટ, રાજકોટ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મુકેશભાઈ મકવાણા, નિલેશભાઈ દુધરેજીયા તેમજ બંને તાલુકાના શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(10:46 am IST)