Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીના લાલપરમાં ૧૮ વર્ષની ધર્મિષ્ઠાએ બાથરૂમમાં અગ્નિસ્નાન કરી જીવ દીધો

રાજકોટ હોસ્પિટલમાં મોતઃ માનસિક તકલીફને લીધે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૭: મોરબીના લાલપરમાં રહેતી ધર્મિષ્ઠા બાબુભાઇ મકવાણા (ઉ.૨૧) નામની યુવતિએ ગઇકાલે બપોરે ઘરે બાથરૂમમાં જઇ અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝીજતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ધર્મિષ્ઠા બે ભાઇ અને બે બહેનમાં બીજી હતી. તેના પિતા બાબુભાઇ છુટક મજૂરી કરે છે. પરિવારજનન કહેવા મુજબ ધર્મિષ્ઠાને માનસિક તકલીફ હોઇ આ પગલુ ભર્યુ હતું. બપોરે તેના માતા અને બહેન ઘરમાં હતાં ત્યારે તેણીએ બાથરૂમમાં જઇ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લીધી હતી.

(11:41 am IST)