Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણને લઈ યુવાનનો આપઘાત.

સિરામિકના ફેકટરીની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના ફેકટરીની ઓરડીમાં  આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો બનાવની મોરબી તાલુકા પોલીસને નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર રહેતા અજીતભાઈ રામેશ્વરભાઈ ગીરી (ઉમર ૩૭) એ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી છે કે તેનો  કૌટુંબિક કાકાના દિકરા મનીષકુમાર શ્રીશ્યામ નારાયણ ગીરી (ઉંમર ૨૭))રહે. રંગપર રોડ ઉપર આવેલ એપ્રીકોટ  સિરામિક વાળા એ ઓરડીમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે મોરબી તાલુકા પોલીસે  બનાવની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી છે  આ બનાવની તપાસ કરતાં એ.એસ.આઈ એમ. આર.ગામીત જણાવ્યુ હતું કે મૃતક યુવાનના છ માસ પહેલા લગ્ન થયા હતા પત્ની વતનમાં રહે છે અને આર્થિક મૂંઝવણના લીધે આપઘાત કર્યો હોવાનું હાંલ જણાવા મળ્યું છે.

(12:08 pm IST)