Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબીના આંદરણા ગામે “સંતુ” ગાયનું મૃત્યુ થતા સમાધિ આપવામાં આવી.

આંદરણા ગૌશાળા મંડળ, આંદરણા રામ ધૂન ભજન મંડળ અને આંદરણા ગ્રામ સમસ્ત પરિવાર દ્વારા ગાયને સમાધિ અપાઈ

મોરબી તાલુકાના આંદરણા ગામની ગૌશાળામાં રહેલી ગાય દેહ છોડી જતી રહેતા ગાયને સમાધિ આપવામાં આવી હતી
શ્રી આંદરણા ગૌશાળા ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગૌશાળા શરુ થઇ ત્યારથી કાંકરેજ ગાય “સંતુ” નામની ગાય અહી હોય જેનું ગત તા. ૦૪ ના રોજ અવસાન થયું હતું અને સંતુ નામની ગાયનું મૃત્યુ થયું હોય જેથી ગાયને સમાધિ આપવામાં આવી હતી સંતુ ગાયની ઉમર આશરે ૩૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે તો આંદરણા ગૌશાળા મંડળ, આંદરણા રામ ધૂન ભજન મંડળ અને આંદરણા ગ્રામ સમસ્ત પરિવાર દ્વારા ગાયને સમાધિ આપવામાં આવી હતી.

(12:09 pm IST)