Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પતિએ પગાર આવ્યા બાદ વતન જવાનું કહેતા પરિણાતાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

મોરબીના ચાચાપર ગામે કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મૃત્યુ

મોરબીના ચાચાપર ગામે કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ચાંચાપર ગામે રામેશ્વરનગરમાં આવેલ એન્ટી પોલીમર નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા નાનાલાલ ગરવાલના પત્ની ધનકીબેન (ઉંમર ૨૨) એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અગે મોરબી તાલુકા પોલીસ નોધ કરી તપાસ કરનાર એ.એસ.આઈ આર.બી.વ્યાસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરીઓ છે મૃતક મહિનાને વતનમાં જવું હતું  અને તેના પતિએ પગાર આવે પછી હિસાબ કરીને વતનમાં જવાનું કહ્યું હતું જે બાબતનું લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

(12:12 pm IST)