Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જુનાગઢના રાકેશ બાંભણીયાની હત્યામાં સન્ની અને સંજયની શોધખોળ-તપાસ

મૃતકે ગાળ આપતા જીવ ગુમાવ્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૭ : જુનાગઢના રાકેશ બાંભણીયાની હત્યામાં પોલીસે સન્ની અને સંજય નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જુનાગઢમાં ગઇકાલે સાંજે જયશ્રી રોડ ખાતેના પ્લેટેનીયમ કોમ્પ્લેક્ષની સામેની શેરીમાં અજાણ્યા યુવાનની લોહીથી લથપથ લાશ પડી હોવાની જાણ થતા બી ડીવીઝના પી.આઇ. નિલેશ રાઠોડ વગેરે દોડી ગયા હતા.

પ્રાથમીક તપાસમાં મૃતકને તિક્ષ્ણ શસ્ત્રના ઘા ઝીંકીને તેની હત્યા કરાઇ હોવાનું જણાતા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

તપાસમાં મૃતક ચોરવાડના ગડુ વિસ્તારનો હોવાનું અને હાલ જુનાગઢમાં છેલ્લા-ચાર વર્ષથી રહેતો રાજેશ ઉકાભાઇ બાંભણીયા હોવાનું જણાવ્યું હતું.

આ અંગે ગત રાત્રે જુનાગઢના ખામધ્રોળ સીમવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઇ વેલજી ધોશીયારને સન્ની વિજુભાઇ અને સંજય દેવીપુજક સાથે રાકેશની હત્યાની ફરીયાદ કરી હતી.

જેમાં સન્ની અનેસંજય બનાવ સ્થળે ઉભા હતા ત્યારે મૃતક રાકેશે ગાળ આપતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા  હતા બાદમાં રાકેશને સંજયને પાછળથી પકડી રાખી પોલીસે રાકેશને છાતીના ભાગે છરી ઝીંકી તેની હત્યા કરી હતી.

આ ફરીયાદના આધારે તપાસ ચલાવી રહેલા બી ડીવીઝનના પી.આઇ.નિલેશ રાઠોડે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હાલ સીસીટીવી કુટેજ અને હત્યાને નજરે જોનાર વ્યકિતઓના આધારે તપાસ ચાલી રહી છે. અને બન્ને આરોપી ટુંક સમયમાં ઝડપાય જશે.

(12:24 pm IST)