Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે યોજાનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો રક્ત તુલા કાર્યક્રમ બંધ રહ્યો : ફક્ત રકતદાન કેમ્પ ચાલુ યોજાશે

કોરોના મહામારીનાં વધતા જતા કેસને ધ્યાને લઈ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ - ધોરાજી દ્વારા જાહેરાત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:તા.૭  તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ - ધોરાજીનાં પ્રમુખ રાજેશ આર.બાલધાની યાદીમાં જણાવવામાં આવે છે કે, ટ્રસ્ટ દવારા તા.૦૯ને રવિવારનાં રોજ મહા રકતદાન કેમ્પ તથા ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ ની રકતતુલાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

    તે કાર્યક્રમમાં ફેરફાર કરીને હાલની પરીસ્થિતીમાં કોરોના મહામારીનાં વધતા જતા કેસને ધ્યાને લઈ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ - ધોરાજી દવારા નકકી કરેલ છે કેસવારે ૯-૦૦ થી બપોરે ૨-૩૦ કલાક સુધીનો ફકત રકતદાન કેમ્પનું

આયોજન ચાલુ રાખવામાં આવેલ છે. અને બપોરે ૩-૩૦ કલાકપછીનાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ નો રકતતુલાનો કાર્યક્રમ સહીતનાં તમામ કાર્યક્રમો રદ કરેલ છે. જેની જાહેરજનતાને જાણ કરવામાં આવે છે.

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ - ધોરાજી દવારા રકતદાન કેમ્પ ચાલુ રાખવામાં

આવેલ છે. જેની જાહેર જનતાને ૨કતદાન કેમ્પમાં ૨કતદાન કરવા માટે જાહેર જનતાને અપીલ કરે છે. જેની નોંધ લેવા વિનંતી કરેલ હતી

 

(4:33 pm IST)