Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

નરેન્દ્રભાઇના દીર્ઘાયુ માટે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યજ્ઞ અને પ્રાર્થના

વાંકાનેરઃ જયશ્રી સ્વામિનારાયણ તારીખ પ-૧-ર૦રરના રોજ પંજાબની અંદર પ્રધાનમંત્રીના કાફલાને ર૦ મિનિટ રોકી અને જે સુરક્ષાની ભયંકર ચૂક થઇ છે જેને કારણે પ્રધાનમંત્રીના જીવને જોખમ થયું છે તે માટે શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામના કોઠારી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી એવં સ્વામીશ્રી વિવેકસાગરદાસજી આ ઘટનાને કઠોર શબ્દોમાં વખોડી છે. નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે રાષ્ટ્રને અને જનતાને પ્રધાનમંત્રીની ખૂબ ચિંતા છે. તે માટે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન ચાલીસાનો યજ્ઞ કરવામાં આવ્યો અને પ્રધાનમંત્રીજી ખુબ જ દીર્ઘાયુ થાય. શતાયુ થાય અને નિરોગી રહે અને કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ પ્રધાનમંત્રીના તમામ દુઃખોને દૂર કરે એવી દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી. વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ અને પરમ પૂજય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી અને તમામ મોટેરા સંતો સાથે મળી અને પ્રધાનમંત્રી માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.

 

(4:48 pm IST)