Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જસદણની શ્રીનાથજી હવેલીમાં કાલે ફૂલડોલ મહોત્‍સવ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૭: સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી હવેલીમાં  કાલે તા. ૮ને બુધવારે ઠાકોરજી સમક્ષ ભવ્‍ય ફૂલડોલ મહોત્‍સવ યોજાશે.

જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્‍યા મુજબ જસદણની શ્રીનાથજીની હવેલીમાં કાલે બુધવારે ધૂળેટીના દિવસે બપોરે ૧૨ થી ૧ દિવસે વૈષ્‍ણવ હવેલી સંપ્રદાયની પ્રણાલીકા મુજબ મૂખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશી દ્વારા ઠાકોરજી તથા શ્રીનાથજીને અબીલ, ગુલાલ, કેસુડો તેમજ પુષ્‍પ પાંદડીથી ખેલાવવામાં આવશે. ઠાકોરજીને આસોપાલવ તેમજ અવનવી વનસ્‍પતિ તેમજ ફૂલોથી સજાવેલા કલાત્‍મક હિંડોળામાં પધારવામાં આવશે. વૈષ્‍ણવ ભાઈઓ બહેનો વડીલોની ઉપસ્‍થિતિમાં ઠાકોરજીને ખેલવવામાં આવશે ત્‍યારબાદ ઠાકોરજીને ધરાવેલા અબીલ ગુલાલ તેમજ ફૂલોની પાંદડી વગેરે દ્વારા વૈષ્‍ણવોને રંગે રમાડવામાં આવશે. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ,ᅠ ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્‍ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્‍ટી હસુભાઈ ગાંધી,ᅠ ટ્રસ્‍ટી બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈᅠ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા, અશોકભાઈ મહેતા, કિશોરભાઈ ગઢવી, કિરીટભાઈ છાયાણી, અરવિંદભાઈ પાટડીયા, ચંદુભાઈ ગોટી, રમેશભાઈ ગોલ્‍ડનચા, ડો. સંજયભાઈ સખીયા, નરેશભાઈ દરેડ સહિતના હોદેદારોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

(11:47 am IST)