Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

પોરબંદર-છાંયા નગરપાલિકા જનરલ બોર્ડની શુક્રવારે સામાન્‍ય સભા

પોરબંદર તા. ૭ :.. પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ (સ્‍પેશ્‍યલ) સભા નગરપાલિકા કચેરીના સભાખંડમાં તા. ૧૦ ને શુક્રવારે બપોરના ૧ર કલાકે રાખવામાં આવેલ છે. જેમાં ભુગર્ભ ગટર મરામત શૌચાલયના કોન્‍ટ્રાકટ વગેરે બાબતો હાથ ધરાશે

નગરપાલિકાની સામાન્‍ય સભામાં મ્‍યુ. એન્‍જીનીયરશ્રના રીપોર્ટની વિગતે પોરબંદર છાયા નગરપાલિકા વિસ્‍તારમાં ભુગર્ભ ગટરનું મરામત અને નિભાવણી કરવાનું કોન્‍ટ્રાકટર તેમજ આ કામની મુદત તા. ૩૧-૩-ર૦ર૩ ના રોજ પુર્ણ થતી હોય તેમજ આ કામનો વાર્ષિક અંદાજીત ખર્ચ રૂા. ૧,પ૦,૦૦,૦૦૦ જેટલો થાય છે, જે ધ્‍યાને લઇ ટેન્‍ડરીંગ પ્રક્રિયા બાબતે નિર્ણય થવા અંગે તેમજ હેલ્‍થ ઓફીસરશ્રીના રિપોર્ટની વિગતે નાગરીકોની સંયુકત લેખિત અરજી અન્‍વયે નગરપાલિકાના વોર્ડ નં. ૮ માં ગાયવાડી પાસે આવેલ શૌચાલયમાં રૂા. પ થી રૂા. ૧૦ પૈસાબ તથા શૌચ માટે લેવામાં આવે છે તેવી ફરીયાદ આવેલ હોય, જે ધ્‍યાને લઇ સ્‍થળ તપાસ કરતા રોજકામ મુજબ જાણવા મળેલ કે, શૌચાલયમાં રૂા. પ થી રૂા. ૧૦ પૈસાબ તથા શૌચ માટે લેવામાં આવે છે જે અન્‍વયે માન. પ્રમુખ જ. ક. ની અપેક્ષાએ શૌચાલય એજન્‍સી પાસેથી જપ્ત કરવા માટેની મંજૂરી આપેલ હોય, જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય લેવાશે.

આ સામાન્‍ય સભામાં હેલ્‍થ ઓફીસર શ્રીના રીપોર્ટની વિગતે કમલાબાગ વિસ્‍તારના વેપારીઓની સંયુકત લેખિત અરજી અન્‍વયે નગરપાલિકાની કમલાબાગ પાસે આવેલ જાહેર શૌચાલયમાં અંદરની બાજૂએ ગંદકી હોય તથા શૌચાલયની સફાઇ કરવામાં આવતી ન હોય તેવી ફરીયાદ આવેલ છે. જે ધ્‍યાને લઇ ચીફ ઓફીસરશ્રીની સુચના મુજબ સ્‍થળ તપાસ કરતાં નીચે મુજબ શૌચાલયની અંદરની દીવાલો પર ભેજ તથા કાળા ધબ્‍બાઓ જોવા મળેલ. કલર કામ તથા પ્‍લાસ્‍ટર અંગેનું સમારકામ કરેલ નથી જે સ્‍પષ્‍ટ જોવા મળેલ છે. અંદરની દીવાલો પર પાન-મસાલાથી ગંદકી કરેલ જેની જે સફાઇ કરેલ નથી. તેથી શૌચાલય એજન્‍સી પાસેથી જપ્ત કરવા માટેની મંજૂરી આપેલ હોય, જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય તેમજ સ્‍વચ્‍છતા સહિત અનેક ઠરાવો પસાર કરાશે.

(12:46 pm IST)