Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

હળવદ તાલુકામાં માવઠાથી જીરાનો પાક નિષ્‍ફળ

રાજકોટ તા. ૭ : રાજ્‍યભરમાં થયેલ માવઠા - વાવાઝોડાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. અહીંના ઘનશ્‍યામપુર તથા ભલગામડામાં ખેડૂતોએ લીધેલ જીરાના પાકનો હાથમાં આવેલ કોળીયો છીનવાઇ ગયો હતો. જેમાં ૫૦ વિઘા ઉપરના જીરાનો પાક વાવાઝોડાના લીધે નિષ્‍ફળ ગયો હતો. ખેડૂતોની મહિનાઓની મહેનત એળે ગઇ હતી.

(2:01 pm IST)