Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ભાવનગરના બગદાણા-ધરાઈ વચ્ચે ખેતરના વિજ થાંભલે લટકીને યુવક-યુવતીનો આપઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૭ :. ભાવનગર જિલ્લાના બગદાણા-ધરાઈ ગામ વચ્ચે આવેલા ખેતરના વિજથાંભલે લટકીને યુવક-યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ તળાજા તાલુકાના સરતનપર ગામનો કરણ ભદુરભાઈ બારૈયા (ઉ.વ.૨૦) અને ગઢુલા ગામે રહેતી કિંજલ શાંતિભાઈ બાંભણીયા (ઉ.વ. ૧૯)એ વિજ થાંભલે લટકીને જીવ દઈ દીધો હતો.

આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. બગદાણા પી.એસ.આઈ. શ્રી મકવાણા, તલાટી મંત્રી, મહુવાથી અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ માટે બગદાણા હોસ્પીટલમાં ખસેડેલ છે.

(4:13 pm IST)