Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સાવરકુંડલા : પાલીતાણા સિપાહી જમાતના પ્રમુખ તરીકે સરફરાજ પઠાણની બિનહરીફ વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૭ : પાલીતાણા મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ તરીકે નવ યુવાન સરફરાજ પઠાણ બિન હરીફ વરણી કરવા માં આવતા ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

તાજેતરમાં પાલીતાણા મુસ્લિમ સિપાહી જમાતની ચૂંટણી હતી તેમાં મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ તરીકે યુવાનોના અડધી રાતનો હોંકારો અને શકિતશાળી સરફરાજ અલારખભાઈ પઠાણ ( પપ્પુ) એ ફોર્મ ભરેલ હતું અને તેની સામે કોઇ ફોર્મ ન આવતા મુસ્લિમ સિપાહી સમાજના પ્રમુખ તરીકે નીડર નિષ્ઠાવાન અને પ્રામાણિક સરફરાજ પઠાણ (પપ્પુ)ની બિનહરીફ વરણી થયેલ હતી.

પાલીતાણા શહેરમાં મુસ્લિમ સમાજમાં નાની ઉમરમાં સારી લોકચાહના ધરાવતા સરફરાજ પઠાણ પપ્પુભાઈ પાલીતાણા મુસ્લિમ સિપાહી સમાજના ઇતિહાસમાં સૌથી નાની ઉમર માં પ્રમુખ તરીકે અને એ પણ બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાણા હોય તો તે પ્રથમ વખત બન્યું છે

યુવાનોની દિલની ધડકન અને પાલીતાણા શહેરમાં બિનવિવાદાસ્પદ વ્યકિત તરીકે છાપ ધરાવતા સરફરાજ પઠાણ પપ્પુભાઈને વ્યાપક અભિનંદનની વર્ષા ઓ વરસી હતી. પપ્પુભાઈની પ્રમુખ તરીકેની વરણીને સાવરકુંડલા મુસ્લીમ સમાજના પ્રમુખ હાજી જાહિદ ભાઈ જાદવ પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી નાગરિક બેંક ના પૂર્વ ડિરેકટર ઉસમાનભાઈ પઠાણ. મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ અને પત્રકાર ઈકબાલ ગોરી, સુન્ની મુસ્લિમ જમાતના ઉપપ્રમુખ નસીરભાઈ ચૌહાણ, મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ ચૌહાણ, પૂર્વ મીર જમાત પ્રમુખ ઇકબાલભાઈ વારાણી અલીભાઈ જાખરા સોહિલ શેખ, ઉસમાનભાઈ પરમાર, મોમીનભાઈ વિગેરે સાવરકુંડલા મુસ્લિમ અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા

અત્રે ઉલ્લેખનીય છે કે સરફરાજ પઠાણ (પપ્પુભાઈ)ની અગાઉ સુંદર અને સરાહનીય કામગીરી હોવાથી નાની ઉંમરે પાલીતાણા સિપાહી જમાતના પ્રમુખ તરીકેની જબરી જવાબદારી સોંપવામાં આવી છે પપ્પુભાઈ સર્વાનુમતે બિનહરીફ વરણી થવાથી પાલીતાણા સિપાહી સમાજની પ્રગતિ ઉન્નતિ અને વિકાસ હરણફાળે આગળ વેગવંતો બનશે તેવી સિપાહી સમાજના બીરાદરોએ આશા વ્યકત કરી હતી.

(10:36 am IST)