Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ધ્રાંગધ્રાના મેથાણ ગામે ચત્રભૂજદાદાના મંદિરમાં તસ્‍કરો ઘૂસ્‍યા : રૂા. સાડા આઠ લાખના ઘરેણાં ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલ ચત્રભુજદાદાના પ્રાચીન મંદિરમાં અજાણ્‍યા તસ્‍કરોએ લાખ્‍ખોરૂા. ના દાગીના ચોરી કરતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાયેલ છે અને આ બનાવમાં આરોપીઓ ઝડપથી ન પકડાય તો તા ૯-૯-૨૦૨૧થી ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ગ્રામજનો દ્વારા આપવામા આવે છે.
ચત્રભુજદાદા(ભગવાનશ્રી કૃષ્‍ણ)નું મંદિર અલાઉદીન ખીલજીના સમય કરતા પણ જુનુ છે, અનેક લોકો માટે તે શ્રધ્‍ધાનું કેનદ્ર બનેલ છે તાજેતરમાં અજાણ્‍યા તસ્‍કરોએ આ મંદીરની મુર્તિને ખંડીત કરવાની કોશિષ સાથે દાદાના અંદાજે રૂા.૮,૩૭,૦૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયેલ છે.ᅠ
આ બનાવથી ગામની ધર્મપ્રેમી જનતામાં રોષની લાગણી ફેલાયેલ છે. અને જિલ્લા કલેકટર મારફતથ મુખ્‍યમત્રીને આવેદનપત્ર મોકલીને આ બનાવની ઝડપી તપાસ કરીક ચોરીનો ભેદ ખોલવા માંગ થયેલ છે વિકલ્‍પે તા ૯-૯-૨૦૨૧થી ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવેલ છે.ᅠ

 

(11:10 am IST)