Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જસદણના ધોરી માર્ગ ખાનપર રોડને ગૌરવ પથ બનાવવા પૂર્વ પ્રમુખ અશ્વિન સોજીત્રાની મુખ્‍યમંત્રી સહિતને રજુઆત

જસદણ,તા. ૭ : જસદણના રદય સમા ધોરીમાર્ગᅠ ખાનપર રોડને ગૌરવપથ બનાવી શહેરની શાન વધારવા માંગ કરીછેᅠ હાલ ખાનપરરોડ બાયપાસ રોડથી આકાશી મેલડી માતાના મંદિર સુધી અતિ બિસ્‍માર હોય વાહનચાલકો અને લોકોને પારાવાર મુશ્‍કેલી પડતી હોય આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ ઉર્ફે મુન્નાભાઈ સોજીત્રાએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદી રાજકોટ જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાદ્યાણી શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી આર પાટીલ પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો ભરતભાઇ બોદ્યરા જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લા સંગઠન પ્રભારી મહેન્‍દ્રસિંહ સરવૈયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહિત એક ડઝન નેતાઓને લેખિત પત્ર પાઠવી રજુઆત કરી છે.
પત્ર મા જણાવ્‍યું છે કે આકાશી મેલડી માતાના મંદિર થી બાયપાસ રોડ સુધીના અતિ મહત્‍વના આ રોડને બંને બાજુએ ફુટપાટ અને વચ્‍ચે ડીવાઈડર વળો પહોળો રોડ બનાવી શહેરની શોભા અને શાન વધારવા તેમજ લોકો રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્‍કેલી પીડા યાતના દૂર કરવા અરજ કરી છે આ રોડ ઉપર હોસ્‍પિટલો સ્‍કુલ મંદિર હિરા હલરના એકમો આવેલાછે તેમજ રાજકોટ ભાવનગર હાઇવેને જોડતો અને બાયપાસ રોડને જોડતો શહેરની શાન સમા ખાનપરરોડને ગૌરવ જાહેર કરી અને તુરંત અમલવારી કરવામાં આવે હાલ આ રોડ ખખડધજ હાલતમાં હોય યોગ્‍ય કાર્યવાહી કરવા પૂર્વ નગરપતિ મુન્નાભાઈ સોજીત્રા એ માંગ કરી છે.

 

(11:13 am IST)