Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાઃ આજે પોરબંદરમાં : કાલે ધ્રાંગધ્રા પંથકમાં

ગાંધીનગર,તા. ૭ : પંચાયત અને શ્રમ રોજગાર રાજ્‍યમંત્રી બ્રિજેશ મેરજા ભાજપ પ્રેરિત જન આશીર્વાદ યાત્રા લઇને નીકળ્‍યા છે. આજે યાત્રા પોરબંદરમાં છે કાલે તા. ૮ના રોજ સુરેન્‍દ્રનગર જિલ્લામાં ફરશે. પોરબંદરમાં આજે કીર્તી મંદિરથી યાત્રા આરંભ કરેલ છે.
કાલે સવારે ૯ વાગ્‍યે ચૂલી અને ચોલડીમાં સ્‍વાગત બાદ શ્રી બ્રિજેશ મેરજાની યાત્રા ૧૦ વાગ્‍યે ધ્રાંગધ્રા શહેરમાં પ્રવેશ કરશે. સંસ્‍કારધામ અને ભગવતધામમાં દર્શન કરીને સભા સંબોધશે. ૧૧:૩૦ વાગ્‍યે નવલગઢ અને ૧૧:૫૦ વાગ્‍યે ખાંભડામાં સ્‍વાગત થશે. ૧૨:૧૫ વાગ્‍યે રાજસીતાપુરમાં સ્‍વાગત થશે. ૧:૧૫ વાગ્‍યે દુધરેજ વડવાળા મંદિરમાં દર્શન કરશે. ૧:૪૫ વાગ્‍યે લખતરમાં સ્‍વાગત બાદ સભા થશે. ૪:૧૦ વાગ્‍યે મોઢવાણા, અને ૪:૩૦ વાગ્‍યે ખેરવા સ્‍વાગત થશે. ૫ વાગ્‍યે માલવણ ઉમિયાધામ અને ૬ વાગ્‍યે પીપળીધામ દર્શન કરશે.


 

(11:14 am IST)