Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ધોરાજીમાં વીજ ઇજનેરને નિવૃત વિદાયમાન

ધોરાજી : પીજીવીસીએલ નાયબ ઇજનેર જે.એલ.અમૃતીયાની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયુ હતુ. સ્ટાફ પરિવાર દ્વારા જે.એલ.અમૃતીયાને શ્રીફળનો પળો અને મોમેન્ટો આપી વિદાયમાન આપેલ હતુ. કાર્યપાલક ઇજનેર જે.એ.ગોસાઇએ જણાવેલ. ઇજનેર શ્રી અમૃતીયા સૌમ્ય સ્વભાવના હતા અને રૂરલ વિસ્તાર થતા ફોલ્ટો રીપેરીંગ સહિતના ખેડૂતોની વાડીઓની વિજળી સમસ્યાઓ પર અંગત રસ લઇને કામગીરી કરતા હતા. સી.એમ.કગથરા, ડી.એલ.પટેલ, એ.ડી.અઘેરા, ટી.એમ.સાવલીયા અને સ્ટાફે વિદાય આપેલ. આ તકે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાજર રહી જે.એલ.અમૃતીયાની કામગીરી બિરદાવી વિદાયમાન આપેલ હતી તે તસ્વીર.

(11:48 am IST)