Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આટકોટમાં ધંધાકીય મંદી અને ઘરની ચિંતામાં વિજય ચાવડાનો ઝેર પી આપઘાત

બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૭: જસદણના આટકોટમાં કલ્યાણ પેટ્રોલ પંપ પાછળ પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં વિજયભાઇ હસુભાઇ ચાવડા (આહિર) (ઉ.વ.૩૫) નામના યુવાને રાતે સાડા દસેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આપઘાત કરનાર વિજયભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ધંધામાં મંદી અને ઘરની ચિંતા હોઇ તેના કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:52 am IST)