Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જસદણના ગોંડલાધારમાં ૨૨ વર્ષની જાગૃતિ માનકોલીયાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૭: જસદણના ગોંડલાધારમાં રહેતી બાવીસ વર્ષની યુવતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાગૃતિ વિનુભાઇ માનકોલીયા (કોળી) (ઉ.વ.૨૨) ગઇકાલે બપોરે બારેક વાગ્યે  ઘરે ઝેરી દવા પી જતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે પ્રાથમિક કાર્યવાહી કરી કાગળો જસદણ પોલીસને મોકલ્યા હતાં.

આપઘાત કરનાર જાગૃતિ બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. પિતા વિનુભાઇ ખેત મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ ગઇકાલે બધા બહાર હતાં. બપોરે ઘરે આવ્યા ત્યારે જાગૃતિ ઉલ્ટીઓ કરવા માંડતા તેણે દવા પીધાનું જણાતાં સારવાર માટે ખસેડાઇ હતી. તેને આવુ પગલુ ભરવું પડે તેવું કોઇ કારણ નહોતું. બેભાન હાલતમાં જ મોત નિપજ્યું હોઇ કારણ બહાર આવ્યું નથી. જસદણ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:50 am IST)