Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

માંગરોળમાં બે મહિલા સહિત ૩ને માર મારનાર ટોળાની ઓળખ માટે પોલીસની કવાયત

પી.એસ.આઇ. ચાવડા દ્વારા તપાસનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭: માંગરોળમાં બે મહિલા સહિતને માર મારનાર ટોળાનાં રપ શખ્સોની ઓળખ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

માંગરોળમાં વેરાવળ રોડ પર આવેલ વાડી વિસ્તારમાં ડેલા બંધ વાડીમાં હવાબેન કાસમભાઇ અને તેના દેરાણી સાબીરાબેન ગઇકાલે સાંજે નાળીયેરના પતામાંથી સળીઓ અલગ કરતા હતા.

ત્યારે કેટલાંક લોકો કલર ઉડાડતા અને લાકડીઓ સાથે દેકારો કરતા હતા. બાદમાં રપ શખ્સોનું ટોળું ડેલામાં ઘુસી ગયું હતું અને દયર કાદરભાઇને માર મારી ગાળો કાઢી હતી તેમજ દેરાણી-જેઠાણીને પણ ટોળાએ માર માર્યો હતો.

આ બનાવની જાણ થતાં ડીવાયએસપી જે. ડી. પુરોહિત તથા માંગરોળનાં પી.એસ.આઇ. બી. કે. ચાવડા વગેરે સ્થળ પર દોડી ગયા હતા.

બનાવ અંગે પોલીસે હવાબેનની ફરિયાદ લઇ રપ શખ્સોના ટોળા સામે વિવિધ કલમ મુજબ ગુન્હો નોંધીને કાર્યવાહી કરી હતી.

તપાસનીસ પી.એસ.આઇ. શ્રી ચાવડાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે બનાવની તપાસ ચાલી રહી છે અને હુમલો કરનાર ટોળાંનાં શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:17 pm IST)