Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મેંદરડાના દર્દીનું કોરોનાથી નહિ પણ ન્યુમોનીયાથી મોત થયાનો દાવો

મૃતક જુન મહિનાથી સારવારમાં હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ : મેંદરડાના દર્દીનું કોરોનાથી નહિ પણ ન્યુમોનીયાથી મોત થયાનો દાવો જુનાગઢ સિવીલ હોસ્પિટલ તંત્રએ કર્યો છે.

જુનાગઢ જિલ્લામાં ગઇકાલે ૪ર દિવસે કોરોનાએ પ્રવેશ કર્યો હોવાનું અનેમેંદરડાના એક વ્યકિતનું કોરોનાથી મોત થયાથી સતાવાર અખબારી યાદી પ્રાપ્ત થઇ હતી.

પરંતુ ગઇકાલે બપોરે જુનાગઢ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેડેન્ટ ડો. સુશીલકુમારે અકિલા સાથેની ટેલીફોનીક વાતમાં જણાવેલ કે મેંદરડાના દર્દીનું કોરોનાને કારણે નહિ પરંતુ ન્યુમોનીયાની બિમારીથી મોત થયું હતું.

આ પેશન્ટ જુન મહિનાથી સારવારમાં હતા અને તેમણે મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.

(1:21 pm IST)