Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મોરબી કોંગ્રેસ માલધારી સેલે કોરોનામાં સહાય માટેના ફોર્મ ભરી પ્રદેશ કાર્યાલયમાં સોંપ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ :  કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારોને સરકાર તરફથી ચાર લાખની સહાય મળે તે માટેના ફોર્મ ભરીને મોરબી કોંગ્રેસ માલધારી સેલના અગ્રણીઓએ પ્રદેશ કાર્યાલય ખાતે જમા કરાવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ હોય તેવા પરિવારોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા સહાય મળે તે માટેના ફોર્મ ભરી જમા કરાવ્યા હતા જે પ્રસંગે માલધારી સેલ અગ્રણી મનસુખભાઈ રબારી, ધારાભાઇ રબારી, કરશનભાઈ ભરવાડ અને રમેશભાઈ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:23 pm IST)