Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દેવભુમી દ્રારકામા કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ ની જન આશિર્વાદ યાત્રાનુ પરિભ્રમણ : આરાધનાધામના દર્શન

કર્યા : સાંજે દ્રારકા ભગવાન દ્રારકાધીશના દર્શન કરશે

ધ્રોલ :::દેવભુમી દ્રારકા જીલ્લામા કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ ની જન આશિર્વાદ યાત્રાનુ પરિભ્રમણ  થઈ રહયું છે. રાઘવજીભાઇ એ આરાધનાધામના દર્શન

 કર્યા  હતા.સાંજે દ્રારકા ભગવાન દ્રારકાધીસ ના દર્શન કરશે.

        જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાઘવજીભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરાધના ધામ ખાતે દર્શન કરી, આશીર્વાદ મેળવ્યા તથા સૌના સ્વસ્થ, સુખી અને સમૃદ્ધિમય જીવનની ભગવાન જિનેશ્વરના ચરણોંમાં પ્રાર્થના કરી હતી જનતાના આશીર્વાદ લેવા માટે ની શરૂઆત કરી હતી.

(સંજય ડાંગર - ધ્રોલ)

(4:15 pm IST)