Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વીરપુરમાં સંત શિરોમણિશ્રી જલારામબાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રી

મંત્રી જીતુભાઇ વાઘાણીનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરાયું

વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રી જીતુભાઈ  વાઘાણી દર્શન કરવા  પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભોજલરામ બાપાના શિષ્ય શ્રી જલારામ બાપાની જગ્યાના દર્શન કરી આજે હું કૃતાર્થતા અનુભવું છું. ભક્તિ અને લોકકલ્યાણ માટે જલારામ બાપાએ આજીવન ભેખ લઇ પોતાની જીવનયાત્રા પ્રભુભક્તિ અર્થે સમર્પિત કરી હતી. એમણે પ્રગટાવેલી સેવાની જ્યોત આજે પણ આપણા સૌના હ્રદય માં શ્રઘ્ધારૂપે પ્રજવલિત છે આ પ્રસંગે મંત્રી વાઘાણીનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું     મંત્રીની સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા સહકારી ડેરી  ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા ,  ભરતભાઈ બોધરા, તાલુકા ભા.જ.પ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, અગ્રણી નરસીભાઇ સોજીત્રા, અશોક ઉંધાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા .

(8:18 pm IST)