Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વિજળી : મંદિરનું શિખર અને આસપાસનો અમુક ભાગ ધરાશાયી

એકાએક વાતાવરણમાં પલટો : મેઘગર્જના સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

જૂનાગઢ: આજે સાંજે 6 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો અને મેઘગર્જના સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસેલ હતો. આ સમયે જૂનાગઢના ગીરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો. જેમાં ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વિજળી પડયાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે

ગીરનાર પર્વતના શીખર પર આવેલ ગોરખનાથ મંદિર પર વિજળી પડતા મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થઈ ગયેલ હતો. જો કે વિજળી પડતા કોઈ જાનહાની થયેલ ન હોવાનું જાણવા મળી રહેલ છે.

(11:54 pm IST)