Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જસદણના ડુંગરપુર હનુમાનજીની જગ્યામાં સાંજે ગુજરાતી ભાષાનાં કવિઓનું સંમેલન

(હુમાસુદીન કપાસી દ્વારા) જસદણ ,તા.૭: ડુંગરપુર હનુમાનજીની જગ્યામાં તા.૭ને શનિવારે સાંજે કવિ સંમેલન યોજાનાર છે.કવિ સંમલેન શનિવારે સાંજે ૬ વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોજાશે. કવિ સંમેલનમાં ગુજરાતી ભાષા પર ખ્યાતનામ કવિશ્રી અનિલ ચાવડા, હરદ્વાર ગોસ્વામી, જયંત ડાંગોદરા, મનીષ પાઠક સહિતના કવિઓ ઉપસ્થિત રહેશે આ અંગે દરેક નાગરિકોને ડુંગરપુર હનુમાનજીની જગ્યાનાં મહંતશ્રીએ જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.

(11:44 am IST)