Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

પોરબંદરના દરિયાકાંઠે અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

મરનારના હાથ ઉપર કાંધલી આઇ, ગાત્રાળમાં અને શ્રીરામ ત્રોફાવેલ છે

પોરબંદર, તા.૭: ઇન્‍દ્રેશ્‍વર મંદિર પાછળ દરિયાકાંઠે અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્‍થળે જઇને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલ મોકલી આપેલ છે.

ઇન્‍દ્રેશ્‍વર મહાદેવ મંદિર પાછળના ભાગે દરિયામાંથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળતા ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્‍પિટલે ખસેડેલ છે મરનાર અંદાજે ૬૦ વર્ષની વયના જણાય છે. આ વ્‍યકિતને કોઇ ઓળખતુ હોય તો હાર્બર મરીન પોલીસનો સંપર્ક સાધવા જણાવાયુ. મરનારના હાથની કલાઇ પર ત્રાજવાથી કાંધલી આઇ તથા ગાત્રાળમાં તથા શ્રીરામ ત્રોફાવેલ છે.

(1:20 pm IST)