Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઉનાની કંસારી સીમમાં ધામા નાખેલ ૩થી ૪ સિંહોને વન વિભાગ પકડી પાડે તેવી માંગણી : લોકોમાં ફફડાટ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૮ : કંસારી અને વાવરડા સીમમાં નહેર નજીક ૪ દિવસથી ધામા નાખેલ ૩થી ૪ સિંહોને વન વિભાગ પાંજરા મૂકીને પકડી પાડે તેવી ગ્રામ્‍યજનો માંગણી કરી રહેલ છે.

ઉનાથી ૬ કિ.મી. દૂર સંસારી-વાવરડા જતી નહેરમાં સીમ વિસ્‍તારમાં છેલ્લા ૩થી ૪ દિવસથી ૩ થી ૪ સિંહ-સિંહણનું ગ્રુપ એ વસવાટ કરી લીધો છે. રાત્રીના સિંહ ડણક તથા હુકાર નાંખતા ખેડૂતો ખેતરે રખોપુ કરવા તથા પાણી વાળવા જતાં ડરી રહ્યા છે. આ સિંહના ગ્રુપ અવારનવાર રેઢીયાળ ઢોરનું મારણ પણ કરે છે. માનવી ઉપર હુમલો કરે તે પહેલા આ ૩થી ૪ સિંહના ગ્રુપને મધ્‍યગીરમાં પકડી છોડી મૂકવા ખેડૂતોની માંગણી ઉઠી છે.

(11:54 am IST)