Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ધ્રાંગધ્રાના પક્ષીપ્રેમીનો અનોખો પક્ષીપ્રેમઃ ૨૧૦૦૦ પક્ષીઘર બનાવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: પક્ષી કહે છે મને પણ ઘર જોઈએ છે અનોખો પક્ષી પ્રેમી શંભુભાઈ મદનલાલ મિસ્ત્રી જે બનાવે છે પક્ષીઓ માટે ઘર શંભુભાઈનો જન્મ ધાંગધ્રામાં થયેલ અને તેને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ શીશુકંજ વિદ્યાલયમાં કરેલ તેમને નાનપણથી જ પક્ષીઓ માટે અનોખો પ્રેમ હતો રોજ દાદીમાંના કહેવાથી તે સવારે પક્ષીઓને ચણ નાખવા જતા અને ત્યારથી જ તેમની પક્ષીઓ પ્રત્યે જિજ્ઞાસાની શરૂઆત થઈ તેઓ ચકલી વિશે કહે છે એક દિવસ તે ચકલીને પોતાના ઘરની નીચે મારો બાંધતા જોતા હતા ઘણા દિવસ સુધી આ ચકલી મારો બાંધતા જુવેર પણ પુઠાના ઘરમાં વધારે વજન થઈ જવાથી મારો તૂટી ગયેલ અને તેની બધી મહેનત વ્યર્થ ગયેલ હતી.

આ જોઈને શંભુભાઇ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવાનું ચાલુ કરેલ અને તેમણે લોકોને વિનામૂલ્યે ચકલી ઘર આપવા લાગ્યા તેમ જોતા જોતા તે હજારો લાકડાના ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરી ચૂકેલા અને ચકલીને મજબૂત ઘર આપવાનો સંકલ્પ ને પણ તેઓએ ચાલુ રાખેલ.

તેઓ પક્ષીના ચણ માટે અને પાણી માટે ખારી તેલ ના ડબ્બા માંથી સુંદર ચબૂતરો બનાવે છે તેમાં ચારેબાજુ ચણ અને વચ્ચે પાણી રહી શકે અને તેમનો એ હેતુ હતો કે પક્ષીઓને ઉનાળામાં પાણીની બહુ જરૂર પડે છે સાથે સાથે તેના માટે પણ વ્યવસ્થા થઈ જાય અને આ કાર્ય તેઓ વિનામૂલ્યે આપવાનું ચાલુ કરે અને આ કાર્યમાં ગામનો વિશ્વકર્મા સમાજ અને અનેક લોકોને ખૂબ સહકાર મળેલ લોકો ખાલી ડબ્બા થાય એટલે શંભુભાઈ ની દુકાને મૂકી જાય છે અને તેમાંથી તે સુંદર મીની ચબૂતરો બનાવે છે.

તેઓ પક્ષીઓ માટે અનેક પ્રોગ્રામ કરીને તેઓને ઉપયોગી એવી અનેક વસ્તુઓ વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી અને કલા અને કૌશલ્ય દ્વારા બનાવે છે તેઓ શિયાળાના સમયમાં શ્વાનો માટે પ્રસુતિનો સમય હોય ત્યારે તેમના બચ્ચા માટે ઘર પણ બનાવે છે અને તેમાં બચ્ચા આરામથી રહી શકે અને ઠંડીથી પણ તેઓને રક્ષણ મળે તેઓ અનેક સંસ્થાઓને વિનામૂલ્ય પક્ષીદ્યર અને ચબુતરા આપે છે અને વિતરણ કરે છે ખાસ કરીને હળવદ રોટલી કલબને બારેમાસ ચકલીઘર અને મોબાઈલ ચબુતરા વિનામૂલ્યે આપે છે અને તેઓ નું કહેવું કે તે જીવનના અંતિમ શ્વાસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ચકલીઓ માટે રહેઠાણ બનાવશે અને પક્ષીઓ પ્રત્યે પોતાની ફરજ અદા કરશે.

(11:41 am IST)