Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જુનાગઢ જિલ્લાની ધો.૧૦-૧ર ની ૬૪૯ સ્કૂલો શરૂ કરવાની તૈયારી

ધો-૧૦ના રર૯પ૮ અને ૧રના ૧પરરપ મળી કુલ ૩૮૧૮૩ વિદ્યાર્થીઓ શાળામાં લાંબા સમય બાદ આવવા થનગની રહ્યા છે : કોરોનાની ગાઇડ લાઇન મુજબ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા સરકારની તાકીદ : જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ આપેલી વિગતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮ : રાજય સરકાર દ્વારકા ૧૧ જાન્યુઆરીથી ધો. ૧૦-૧ર ની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે જુનાગઢ જિલ્લામાં શાળા શરૂ કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે રાજયના મંત્રી મંડળની મળેલ બેઠકમાં શિક્ષણને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ જાન્યુઆરીથી રાજયમાં ધો. ૧૦ અને ૧રની સ્કૂલ શરૂ કરવા દિશા નિર્દેશ આપ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ ધો. ૧૦થી ૧રનું શૈક્ષણિક કાર્ય ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લામાં ધો. ૧૦ની ૧૮ સરકારી શાળાઓ તેમજ ૧પ૭ ખાનગી શાળા તેમજ રર૭ ગ્રાન્ટેડ ૪ આશ્રમ શાળા મળી કુલ ૪૦૬ શાળાઓ આવેલી છે જેમાં બધી શાળાઓની સંખ્યા કુલ રર૯પ૮ થાય છે અને ધો. ૧રની સરકારી ૧ર શાળાઓ તેમજ ૧૩ર ખાનગી તેમજ ૯૬ ગ્રાન્ટેડ શાળા અને ૩ આશ્રમ શાળા મળી કુલ ર૪૩ શાળાઓમાં કુલ ૧પરરપ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે. આ તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જાણ કરવામાં આવી છે.

સરકારશ્રી એ પરિપત્ર જારી કરી કોરોનાની ગાઇડ લાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું જણાવ્યું છે. જેમાં દરેક શાળામાં થર્મલગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનેટાઇઝ થયા બાદ પ્રવેશ આપવો તેમજ શાળાઓ શરૂ કરતા પહેલા આરોગ્ય સ્વચ્છતા અને સલામતી પાલન કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ પરિપત્ર બહાર પાડી અમલવારી કરવા સુચનાઓ આપી છે. જેમાં શાળામાં સ્વચ્છતા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિવિધ કાર્યો માટે ટીમની રચના વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા શાળામાં પ્રવેશ અને બહાર જવાના સ્થાને શારીરીક અને સામાજીક અંતર પાલન થાય તે માટે સુનિશ્ચિત માતા પિતા વાલીઓ પાસેથી સંમતિ પત્રક લેવું સહિત સંખ્યાબંધ સુચના સાથે ૩ પાનાનો પરિપત્ર અમલવારી તૈયારીઓ કરવા માટે કરાયો છે.

(11:54 am IST)