Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

શિહોર પાસે ડુંગળી ભરેલી રિક્ષા સાથે કાર અથડાતા એકનું મોત

ભાવનગર, તા. ૮ :. ભાવનગર નજીક કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા એકનુ મોત નિપજ્યુ છે. જ્યારે પાંચને ઈજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા સ્મીતભાઈ ઘનશ્યામભાઈ પરમાર (ઉ.વ. ૨૩) અને તેનો પરિવાર વલ્લભીપુરના પચ્છેગામેથી મરણના કામે જઈ પરત મારૂતિ કારમાં આવી રહ્યા હતા ત્યારે સિહોરના ધાંધળી નજીક રાઘવ પેટ્રોલ પંપ પાસે ડુંગળી ભરેલા છકડા સાથે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા સ્મીતભાઈનું ગંભીર ઈજા થતા કરૂણ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય પાંચને નાની-મોટી ઈજા થતા ૧૦૮ ઈમરજન્સીમાં સારવાર માટે ભાવનગરની હોસ્પીટલમાં ખસેડાયેલ છે. બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

(11:51 am IST)