Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગોંડલ નાની બજાર શ્રી સ્‍વામિનારાયણ મંદિરે વાર્ષિકોત્‍સવ ઉજવાયો

ગોંડલ : પ્રસાદીના ધામરૂપ શ્રી સ્‍વામિનારાયણ મંદિર (નાની બજાર) માં શ્રી હરિકૃષ્‍ણ મહારાજ, શ્રી ધર્મદેવ, ભકિતમાતા  અને શ્રી રાધાકૃષ્‍ણ દેવનો ૧પરમો ભવ્‍ય વાર્ષિકોત્‍સવ ઉજવાયો હતો. આ પ્રસંગે દેશના અનેક મંદિરોમાંથી મોટી સંખ્‍યામાં સંતો, ત્‍યાગી બહેનો તથા ધર્મપ્રેમી સત્‍સંગીઓએ પધારી અમૂલ્‍ય દર્શનનો લ્‍હાવો લીધેલ. અભિષેક, હવન, બીડું તથા સત્‍સંગ સભામાં મંદિરના કો. સ્‍વા. સરજૂસ્‍વામી તથા કો. શા. શ્રી આનંદસ્‍વરૂપ સ્‍વામી તથા પધારેલ સંતોએ પ્રસંગને અનુરૂપ ધાર્મિક પ્રવચનો કરેલ. અને સાથે સાથે શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં ગોંડલ પ્રસાદીની બેઠકે કરેલ ભવ્‍ય શાહોત્‍સવને યાદ કરી સંતો તથા યજમાન શ્રી ઠુંમર પરિવાર તથા વિશાળ સંખ્‍યામાં શાકોત્‍સવની પ્રસાદી લીધી.  હતી. (તસ્‍વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:41 am IST)