Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

બોટાદ સંપ્રદાયના પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્‍યા

રાજકોટ તા. ૮ :.. બોટાદ સંપ્રદાયના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ. સા.ની કૃપાથી પૂ. ચંપાબાઇ મ. સ. ની નિશ્રામાં બોટાદમાં પિતા લલ્લુભાઇ વસાણી અને રત્‍નકુક્ષિણી માતા ઝવેરીબેનના સુપુત્રી અરૂણાબેન તા. ર૭-૧-૧૯૬૬ ના પૂ. સમર્થમલજી મ. સા.ના શ્રીમુખે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મ. સ. તરીકે સુપ્રસિધ્‍ધ  બન્‍યા હતાં.

તાજેતરમાં ડાયાલીસીસ સાતેક દિવસથી બંધ થયા બાદ દેવેન્‍દ્ર સોસાયટી - નારણપુરામાં બોટાદ સંપ્રદાયના ઉપાશ્રયે સમાધિભાવે બિરાજીત હતાં. પૂ. શ્રી ધીરગુરૂદેવ બે વાર દર્શન આપવા પધારતાં પ્રસન્ન હતાં.

બોટાદમાં તા. ૪-પ-૧૯૪૩ ના જન્‍મેલા અને ૮૦ વર્ષની વયે પૂ. અરૂણાબાઇ મ. સ. એ તા. ૭-ર-ર૩ ના સાંજે પ્રવર્તિની પૂ. સવિતાબાઇ મ. સ. ના શ્રીમુખે સંથારો અંગીકાર કરતાં રાત્રીના ૩.૩પ કલાકે મહાવદ-૩, મંગળવારના સમાધિભાવે કાળધર્મ પામ્‍યા હતા. તા. ૮-ર-ર૩ ના બુધવારે બપોરે ર કલાકે પાલખી યાત્રા નીકળી હતી.

ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ. જશરાજજી મ. સા., પૂ. ધીરજમુનિ મ. સા. એ ગુણાંજલિ અર્પણ કરેલ. પૂ. જયેશચંદ્રજી મ. સા. અમદાવાદ તરફ વિહારમાં છે.

(1:15 pm IST)