Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વડિયાના નાજાપુર ગામમાં જંગલી પશુ દ્વારા વાડી વિસ્તારમાં ગાયનું મારણ કરાતા લોકોમાં ફફડાટ

બે સિંહ હોવાની લોકોમાં ચર્ચાઃ વન વિભાગના કર્મીઓએ સ્થળ તપાસ કરી

વડિયા, તા.૮: કોરોના મહામારીની બીમારીથી લોકો ભયભીત છે ત્યારે ગામડામાં ખેડૂતોને વાડીએ કામ કરવામાં હાલ વાવણીની અને ખેતર તૈયાર કરવાની સીઝન ચાલુ થઈ છે ત્યારે જ વડિયાના નાજાપુર ગામમાં ગઈ કાલ મોડી રાત્રે નાજાપુરના યુવા ખેડૂત આશીષભાઈ ચાંચડની વાડી પર રાખેલ ગાય પર કોઈ જંગલી પશુએ હુમલો કરી અને મારણ કર્યું છે.

સગડના આધારે લોકોમાં બે સિંહ હોવાની ચર્ચા જોવા મળી રહી છે. જોકે કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા હોય તેવું જાણવા મળતું નથી પરંતુ માસાહારી જગલી પ્રાણી ચોક્કસ છે એ વાત નક્કી છે. આ જાણ ફોરેસ્ટ વિભાગ ને થતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્થળ ની મુલાકાત લઈ પૂછપરછ કરી માહિતી એકત્ર કરી હતી. આ ઘટના લોકોને જાણ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાય રહ્યો છે એક બાજુ ખેડૂતોને ખેતર વાવેતર કરવા માટે અવાર નવાર રાત્રે વાડી પર જવાનું થઈ રહ્યું છે અને ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

(11:13 am IST)