Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

માંગરોળ બંદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

બંદર વિસ્તારનાં જ શખ્સ સામે ફરિયાદ

જુનાગઢ તા. ૮ :.. માંગરોળ બંદરની એક સગીરાનું અપહરણ કરી નરાધમે તેણી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. માંગરોળ બંદરની એક સોસાયટીમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષ ૮ માસની સગીર વયની દિકરીને માંગરોળ બંદરનો અજય હરજીભાઇ ચામુડીયા ગત તા. પ જુન રાત્રીનાં દોઢેક વાગ્યે લલચાવી-ફોસલાવી અને અપહરણ કરી ગયો હતો. આ દરમ્યાન અજયે સગીરા ઉપર બળાત્કાર ગુજારી તેણી ઉપર શારીરિક અત્યાચાર કર્યો હતો.આવી આપવીતી સગીરાએ જણાવતા તેની માતાએ ગઇકાલે સાંજે ફરીયાદ નોંધાવતા માંગરોળ મરીનનાં ઇન્ચાર્જ પી. આઇ. એસ. એન. ગોહીલે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)